
Diwali 2023: જાણો દિવાળી, ધનતેરશ અને કાળી ચૌદશના શુભમુહૂર્ત સહિત ચોપડા પૂજન અંગેની માહિતી...
Diwali 2023 : ભારત વર્ષમાં દિવાળી નો તહેવાર ખુબ ધૂમ ધામથી ઉજવવામાં આવે છે. પ્રાચીન માન્યતા અનુસાર દિવાળીના દિવસે ભાગવાન રામ, રાવણને પરાસ્ત કરી અયોધ્યા પાછા આવ્યા હતા. ભાગવાન રામના આયોધ્યા પાછા આવવાની ખુશીમાં અયોધ્યાવાસીઓએ હજારો દિવાઓ પ્રકટાવ્યા હતા. દિવાળીનો તહેવાર જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લોકોનું એ પણ માનવું છે કે દિવાળીના શુભ સમયે માતા લક્ષ્મી કૃપા વરસાવે છે. દિવાળી પૂર્વે ધનતેરસ એ શુભ મુહૂર્તમાં માતા લક્ષ્મી, કુબેર તો કાળી ચૌદશ ના રોજ મહાકાળી અને કાળ ભૈરવ તેમજ હનુમાનની પૂજા અર્ચના કરવામાં આવે છે. જેથી જીવનમાં સુખ-સમૃદ્ધી અને શાંતી પ્રદાન થાય છે. તેમજ આવનારૂ વર્ષ શુભદાયી - ફળદાયી નિવડે છે. તો ચાલો જોઈએ દિવાળીના પાંચ દિવસ દરમિયાન ક્યાં મુહૂર્તમાં ભગવાનનું પુજન કરવું.
► આ પણ વાંચો : જન્મ તારીખ પરથી રાશિ નામ, જન્મ સમય અને સ્થળ પરથી બાળકની સચોટ કુંડળી મેળવો..!
વર્ષ 2023માં દિવાળીનો પવિત્ર તહેવાર 12 નવેમ્બર, રવિવારના રોજ ઉજવવામાં આવશે. દિવાળીનો આ તહેવાર ભારતમાં 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે, જે 10 નવેમ્બર ધનતેરસથી શરૂ થશે અને 15 નવેમ્બર 2023 ભાઈ બીજના રોજ સમાપ્ત થશે. દિવાળીના આ 5 દિવસોમાં લોકો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ ધાર્મિક વિધિઓ કરે છે. હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે આ દિવસે સોનું, ચાંદી અથવા અન્ય વસ્તુઓ ખરીદવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. નરક ચતુર્દશી 12 નવેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે, જે લોકપ્રિય રીતે છોટી દિવાળી તરીકે ઓળખાય છે. હિંદુ કેલેન્ડર મુજબ, દિવાળી 2023ની અમાસ તિથિની તારીખ 12મી નવેમ્બરે બપોરે 02:45 વાગ્યે શરૂ થશે અને 13મી નવેમ્બરે બપોરે 2:57 વાગ્યે સમાપ્ત થશે. 12 નવેમ્બરે પૂજાનો સમય સાંજે 5:39 થી 8:16 છે.
લક્ષ્મી પૂજા-કુબેરપૂજા- ધન્વંતરિ પૂજા તેમજ ચોપડા લાવવા
(૧) આસો વદ-૧૩ શુક્રવાર તા.૧૦-૧૧-૨૦૨૩ સમય : સવારમાં ૧૨-૨૪ થી ૧૩-૪૬ ( શુભ)
(2) સાંજે ૧૬-૩૩ થી ૧૭-૫૬ ( ચલ)
(3) રાત્રે ૨૧-૧૦ થી ૨૨-૪૭ ( લાભ) અને ૨૪-૨૪ થી ૨૭-૩૮ ( શુભ અમૃત) સુધીમાં ધનપૂજા કરવી
કાળીપૂજા ,હનુમાન પૂજા ભૈરવ પૂજા યંત્ર મંત્ર સાધના તેમજ ઉગ્ર દેવ સાધના
(૧) આસો વદ-૧૪ શનિવાર તા.૧૧-૧૧-૨૦૨૩ આ દિવસે અને રાત્રે કાળ ભૈરવ, બટુક ભૈરવ, વીર, હનુમાન, મહાકાલી અને દશ મહાવિધાની આરાધના અને તાંત્રિક કાર્યો માટે ઉત્તમ
સમય : બપોરે ૧૨-૨૪ થી ૧૬-૩૨ ( ચલ લાભ અમૃત )
(2) સાજે ૧૭-૫૫ થી ૧૯-૩૨( લાભ)
(3) રાત્રે ૨૧-૧૦ થી ૨૬-૦૧
(શુભ અમૃત ચલ) સુધીમાં સાધના મશીનરી, યંત્રપૂજા કરવી ઉત્તમ ગણાય
આસો વદ-અમાસ રવિવાર તા.૧૨-૧૧-૨૦૨૩ જેમાં દિવસે અને રાત્રે ચોપડા પૂજન સરસ્વતી પૂજનના શુભ મુહર્ત
(૧) સવારે ૦૮-૧૫ થી ૧૨-૨૪ ચલ-લાભ-અમૃત ચોઘડિયા
(2) બપોરે ૧૩-૪૫ થી ૧૫-૦૯ સ્થિર કુંભ લગ્ન, શુભ ચોઘડિયું
(3) સાંજે ૧૭-૫૬ થી ૨૨-૪૬ શુભ-અમૃત-ચલ ચોઘડિયા, સ્થિર વૃષભ લગ્ન
(4) મોડી રાત્રે ૨૪-૩૬ થી ૨૬-૪૭ બળવાન સ્થિર સિંહ લગ્ન અને લાભ ચોઘડિયું.
નૂતન વર્ષ પેઢી ખોલવાનું શ્રેષ્ઠ મુહૂર્ત કારતક સુદ-૧ મંગળવાર તા.૧૪-૧૧-૨૦૨૩ સમય : સવારમાં ૦૯-૩૮ થી ૧૩-૪૬ (ચલ લાભ અમૃત) નૂતન વર્ષમાં પેઢી ખોલવી વેપાર ધંધાનું ઓપનિંગ કરવું.
(1) સવારે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) - સવારે 09:24 થી બપોરે 1:26 સુધી
(2) બપોરે મુહૂર્ત (શુભ) - 02:47 થી 04:07 સુધી
(3) સાંજે મુહૂર્ત (લાભ) - 07:08 થી 08:47 સુધી
(4) રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) - 10:26 થી 03:25 સુધી
(1) કારતક સુદ-૫ શનિવાર તા.૧૮-૧૧-૨૦૨૩ નવા વર્ષે પેઢી ખોલવાનું મુહર્ત સમય : સવારમાં ૦૮-૧૮ થી ૦૯-૪૦(શુભ)
(2) બપોરે ૧૨-૨૫ થી ૧૩-૪૫ (ચલ ) માં પેઢી ખોલવી. વિક્રમ સંવત ૨૦૮૦ માર્ચ એન્ડના ચોપડા ખરીદવાનું પણ મુહૂર્ત છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - દિવાળી ક્યારે છે - દેવ દિવાળી ક્યારે છે -